21 એપ્રિલ, 2024ના રોજ એક જ દિવસમાં ભારતનો હવાઈ ટ્રાફિક કોવિડ પહેલાંની સરેરાશ કરતાં 14 ટકા વધારે નોંધાયો છે.
સરકાર સંચાલિત એરપોર્ટ્સની ખોટ ઘટી છે અને 17 એરપોર્ટ્સે નફો નોંધાવ્યો છે. તેનાથી વિપરિત ખાનગી કંપનીઓને સોંપવામાં આવેલા અને ખાસ તો અદાણી પાસે રહેલાં તમામ સાતેય એરપોર્ટ્સે ખોટ નોંધાવી છે.
દેશના ઉડ્ડયન બજારમાં ભારે ધમધમાટ છે. લોકોમાં હવાઈપ્રવાસનું આકર્ષણ વધ્યું છે. એપ્રિલના છેલ્લાં સપ્તાહમાં દરરોજ 4 લાખથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી છે અને 30 એપ્રિલે નવો રેકોર્ડ બન્યો છે.